જાગોરે જશોદાના જાયા, વહાણેલાં રે વાયાં
તહેવારોનાં રંગમાં વધુ ઉમંગ ભરવા જલસો રજૂ કરી રહ્યું છે આ જન્માષ્ટમી પર ઉમદા ગાયક મીરલ રાઠોડનાં અવાજમાં ભાવસભર ‘પ્રભાતિયું’ .
જાગોરે જશોદાના જાયા, વહાણેલાં રે વાયાં‚
તમારે ઓશીકે, મારાં ચીર તો ચંપાયા… જાગોરે. ટેક
પાસું રે મરડો તો વહાલા ! ચીર લીઉરે તાણી‚
સરખી સમણી સૈયરો સાથે, જાવું છે પાણી. જાગો.
પંખીડા બોલે રે વહાલા ! રજની રહી થોડી‚
સેજલડીથી ઉઠો વહાલા ! આળસડાં મોડી. જાગો.
સાદડી પાડું તો વહાલા લોકડીઆં જાગે‚
અંગુઠો મરડું તો પગના ઘૂધરા ગાજે. જાગો.
સાસુડી જાગેરે વેરણ‚ નણદી જાગે‚
ઓ પેલી રે પાડોસણ ઘેર, વલોણું વાજે. જાગો.
જેને જેવો ભાવ હોયે તેને, તેવુંરે થાએ‚
નરસૈયાચા સ્વામી વિના રખે, વાહાણલું વાએ
Original Credits :
મૂળ રચના : જાગોને જશોદાનાં જાયા
મૂળ રચયિતા : આદિકવિ નરસિંહ મહેતા
પ્રકાર – પ્રભાતિયું
Recreation Credits :-
ગાયક: મીરલ રાઠોડ
મ્યુઝિક: નિશીથ ધિનોરા









