નેહલ ગઢવી એક પ્રેરણાસ્રોત
આજના યુગમાં આપણે સૌ કોઈ ક્યાંક ને ક્યાંક જીવનમાં દોડતા રહીએ છીએ. આપણાં માટે સફળતા, પૈસા, નોકરી, પ્રતિષ્ઠા એ બધું મહત્વ ધરાવે છે. પણ શું જીવન એટલે ફક્ત આ બધું છે ? શું માનવી માત્ર પોતાનાં લાભ માટે જીવે છે? આ પ્રશ્નોના ઉત્તર નેહલ ગઢવી સાથેનાં આ પોડકાસ્ટમાં માત્ર શબ્દો નહીં પરંતુ અનુભવો અને લાગણીદ્વારા જાણવા મળે છે. જીવનમાં જે સાચું છે, નક્કર છે અને હૃદયસ્પર્શી છે, એ બધું આ વાતચીતમાં સમાવિષ્ટ છે.
નેહલ ગઢવી એક અદ્ભુત વ્યક્તિત્વ
નેહલ ગઢવી, માત્ર એક વક્તા નથી. તેઓ એક શિક્ષક છે, જીવનનાં પ્રશ્નોનાં માર્ગદર્શક છે, પોડકાસ્ટમાં તેમણે તેમના બાળકપણાથી લઈને આજ સુધીના જીવનનાં વિવિધ પડાવોને ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં જણાવે છે. નેહલબેન કહે છે કે, “જ્ઞાનએ માત્ર શાળા કે કોલેજની પૂરતું નથી, જ્ઞાન જીવન જીવવાની રીત છે.”
તેઓ સ્વીકાર કરે છે કે દરેક વ્યકિતની યાત્રા અલગ હોય છે. કોઈની પૃષ્ઠભૂમિ મજબૂત હોય છે તો કોઈની સંઘર્ષથી ભરેલી હોય છે. પણ સાચી સફળતા એ છે કે તમે કેવી રીતે તમારી પરિસ્થિતિનો સામનો કરો છો અને કઈ રીતે તમને મળેલી તકનો ઉપયોગ કરો છો. તેઓ એક અત્યંત મહત્વપૂર્ણ વાત કરે છે કે “જીવનમાં ભૂલ કરવી એ ખોટું નથી, ભૂલમાંથી શીખવું અને આગળ વધવું એ જ સાચો વિકાસ છે.”
નેહલ ગઢવીના જીવનનો એક રસપ્રદ કિસ્સો
તેઓ પોતાના જીવનના પ્રસંગો પણ સારી રીતે જણાવે છે. એક વિદ્યાર્થી તરીકે તેઓ કેવી રીતે વિચારતા હતા, શું અલગ કરવા ઈચ્છતા હતા, એ બધું સાંભળીને એવું લાગે છે કે આપણે પોતાને જ જોઈ રહ્યા હોઈએ. દરેક કિશોર, યુવાન અને અને આ વયનાં વ્યક્તિ માટે આ સંવાદ એક દર્પણ સમાન છે.
વાતચીતમાં નેહલ ગઢવી કહે છે કે “તમારું જીવન તમારે જાતે લખવું પડશે. બીજાની કલમે લખાવેલું જીવન તમારી ઓળખ કદી બાંધતું નથી.” આ વાત આજે દરેક યુવાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સમાજ કે પરિવાર આપણાંથી કેટલીય અપેક્ષાઓ રાખે છે, પણ અંતે તો પોતાનું જીવન પોતે જીવવાનું હોય છે.
શિક્ષણ કેવું હોવું જોઈએ?
તેમણે શિક્ષણ અને સમાજના વચ્ચેના સંબંધ પર પણ અસરકારક વાત કરી છે. “શિક્ષણ એવુ હોવું જોઈએ કે જે માનવતાની ભાવનાને ઊભી રાખે. માત્ર નોકરી મેળવવા માટે નહીં, પણ સમાજમાં સુધારાના માર્ગ પર આગળ વધવા માટે શિક્ષણ મળવું જોઈએ.”
આજના યુવાનો માટે આ વાત એટલા માટે અગત્યની છે કારણ કે આજની શિક્ષણ પ્રણાલી સામાન્ય રીતે માર્ક્સ અને પદવીના ઘેરા જાળમાં ફસાઈ ગઈ છે. પરંતુ એક વ્યક્તિની સાચી ઊંચાઈ એ છે કે તે પોતે કઈ રીતે વિચારે છે, કેવી રીતે નિર્ણયો લે છે અને પોતાની આસપાસના લોકો માટે કઈ રીતે હકારાત્મક અસર પેદા કરે છે. કેવી રીતે સામાન્ય માણસને ઉપયોગી થાય છે.
માનસિક સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન રાખવું?
નેહલ ગઢવી પોતે માનસિક સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને સમજદારીની ખૂબ ચર્ચા કરે છે. તેઓ કહે છે કે “હું મારા વિચારોની માલિક છું. જો મારી અંદર નકારાત્મકતા આવશે તો હું તૂટવાની છું, પણ જો હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીશ તો કોઈ પણ મુશ્કેલીમાં જીતીશ.”
તેઓ કેટલીક પંક્તિઓમાં જીવનનાં મર્મને વ્યાખ્યાયિત કરે છે. જેમ કે:
“માણસ હારી જાય એમાં મોટી વાત નથી, પણ માણસ જો પોતાનાં જ દમ પર ઊભો ના રહી શકે, તો એ સૌથી મોટી હાર છે.”
નેહલબેન યુવાનોને એટલું જ કહે છે કે “તમારું કોઈ Aim હોય તો એના પર કામ કરો, પણ એના પાછળ તમારી શાંતિ અને જીવન મૂલ્યો ગુમાવશો નહીં.” આ વાત આજનાં કારકિર્દી-કેન્દ્રિત યુગમાં અત્યંત જરૂરી છે.
એમણે ખૂબ સુંદર વાત એમણે કહી કે “સફળતા એ છે કે તમે કેટલી યાદગાર અસર છોડી ગયા છો. તમારા મરણ પછી લોકો તમારું નામ કઈ રીતે યાદ કરે એ જ સાચી સફળતા છે.”
એમનું માનવું છે કે, જીવનમાં Positive રહેવું ખૂબ જરૂરી છે માટે નકારાત્મક બાબતથી બને એટલું દૂર રહેવું જોઈએ.
સંવાદના અંતે
આ આખા પોડકાસ્ટનો સાર એ છે કે, જીવન બહુ ટૂંકું છે, પણ એમાં જે અનુભવો મળે છે એ ખૂબ ઊંડા છે. જીવનમાં સૌ કોઈ મુશ્કેલીઓનો સામનો કરે છે, પણ જે લોકો આ સમસ્યાઓમાંથી શીખે છે, તેમણે જ જીવન જીવ્યું એમ કહી શકાય.નેહલ ગઢવીની વાતો આપણને જીવનમાં વિચારવાની, સમજવાની અને જીવવાની નવી દિશા આપે છે.
જો તમે પણ જીવનમાં ક્યાંક અટવાઈ ગયા છો, તમારાં પ્રશ્નોથી મન-મગજ ભરેલું છે, તમારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે – તો આ પોડકાસ્ટ તમારું માર્ગદર્શન પૂરું પાડી શકે છે. શબ્દો થી વધુ અહીં લાગણીઓ બોલે છે. વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
આ સિવાયનાં બીજાં ઘણાં ઉપયોગી સવાલોનાં જવાબ આ સંવાદમાં તમે Jalso Podcast Channel પર સાંભળી શકો છો.
આ મનમાં ચાલતા કેટલાક પ્રશ્નોનાં જવાબ સાંભળવાનું ભૂલશો નહી.