હોમિયોપેથી વિજ્ઞાન એટલે વર્તમાન સમયમાં Medical Science માં સૌથી વધુ ચર્ચાતા વિષયમાંનો વિષય છે. હોમિયોપેથીની દવાઓ તેના ઓછા નુકસાન અને અસરકારક પરિણામો માટે જાણીતી હોય છે. એલોપેથી કે જેની વિવિધ આડઅસરો હોય છે તો તેની આડઅસરોને ઘટાડવા માટે અને અનેક રોગોમાં તેના ચોટદાર વિકલ્પ તરીકે હોમિયોપેથી દવાઓ આજે ખૂબ ફેમસ થઇ છે. આ વિજ્ઞાન કંઈ અત્યંત પુરાણું નથી, 200-250 વર્ષથી જ આ દિશામાં પ્રયોગો શરું થયા છે પરંતુ આના પરિણામો અત્યંત અસરકારક સાબિત થાય છે.
તેમાં પણ ચામડીના રોગો, વાળ ખરવાના પ્રોબ્લેમ્સથી લઈને ડીપ્રેશન જેવા મેન્ટલ હેલ્થ ઈશ્યુની પણ સારવાર હોમિયોપેથી દવાઓથી કરવામાં આવે છે. આ વિજ્ઞાનને લઈને અનેક મંતવ્યો, અફવાઓ લોકોમાં રહેલી છે તે આ સંવાદથી ચોક્કસથી દૂર થશે.
ડૉ.કેતન શાહ કોલેજમાં પ્રોફેસર-ડીન છે અને સાથે સાથે 35થી પણ વધુ વર્ષોથી હોમિયોપેથીમાં પ્રેક્ટીસ કરે છે. અનેક રોગો અને અનેક દર્દીઓની તેમણે હોમિયોપેથીની મદદથી સારવાર કરી છે. આ સંવાદમાં તેઓ અનેક રોગોના ઈલાજ વિશે, હોમિયોપેથીમાં વપરાતી દવાઓ વિશે તેમજ આ વિજ્ઞાનને લગતા દરેક પ્રશ્નો વિશે ખૂબ જ સચોટ અને રસપ્રદ રીતે ઉત્તરો આપ્યા છે. આ સંવાદ આપ અંત સુધી જોજો, તમને ચોક્કસથી ઉપયોગી નીવડશે.