રામાયણ આપણી ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનો ખૂબ જ મહત્વનો ભાગ છે. અયોધ્યાના રાજા શ્રીરામ જે આપણી હિંદુ સંસ્કૃતિમાં ભગવાન તરીકે પૂજાય છે તે રામાયણના મુખ્ય પાત્ર છે. માનવીય સ્વરૂપ અને ઈશ્વરીય શક્તિ ધરાવતા પ્રભુ શ્રીરામની કથા એટલે રામાયણ.
રામાયણ વિશે અનેક મત-મતાંતરો રહેલા છે કે તે માત્ર ઋષિકવિ વાલ્મીકિ રચિત મહાકાવ્ય છે કે પછી તે એક દંતકથા જ છે અને આવી અનેક ધારણાઓ સમયાંતરે સાંભળવા મળે છે. તો ખરેખર આ રામાયણ શું છે? ઋષિ વાલ્મીકિ કોણ હતા? રામાયણ અને ભગવાન શ્રીરામના જન્મ વિશે અનેક પુરાવા આજે મળી ચૂક્યા છે. પણ પ્રચલિત રામાયણ અને ઋષિ વાલ્મીકિ રચિત રામાયણમાં શું તફાવત છે? ઋષિ વાલ્મીકિએ સૌપ્રથમ રામાયણ લખી હતી, તો તે રામાયણ અનુસાર કઈ કથાઓ સાચી અને કઈ લોકકથાઓમાં સ્થાન પામે છે?
આવી અનેક રસપ્રદ માહિતી તમને આ પોડકાસ્ટમાં સાંભળવા મળશે જે તમને બીજે ક્યાંય સાંભળવા નહીં મળે.
આદરણીય વિજય પંડ્યા સાહેબ રીસર્ચર તેમજ પ્રોફેસર છે. તેમણે વાલ્મીકિ રામાયણ ઉપર ગહન સંશોધન કર્યું છે તેમજ વાલ્મીકિ રામાયણનું સૌપ્રથમ અને સચોટ ગુજરાતી અનુવાદ તેમના દ્વારા થયું છે. વાલ્મીકિ રામાયણ વિશે વાત કરવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ છે અને તેઓ જયારે ભગવાન શ્રીરામ અને રામાયણ વિશે વાત કરે છે ત્યારે તેમાં ભક્તિભાવ અને સાથે સાથે સાતત્ય ખૂબ જ અદ્ભુત રીતે ઝળકે છે.
તેમણે પોતાનું અડધું જીવન રામાયણ વિશેના સંશોધનમાં ગાળ્યું છે, ક્યાંક વાત કરતા તેઓ ખૂબ ખુશી વ્યક્ત કરે છે અને કોઈક પળે તેઓ ભાવુક પણ થઇ જાય છે. તેઓ રામાયણને, ભગવાન શ્રીરામને વાસ્તવિક જીવનમાં અનુભવે છે. આ સંવાદ ખરેખર ખૂબ મજા પડે એવો છે. રામાયણ વિશેની સાચી હકીકત, માહિતી આપને અહીં પ્રાપ્ત થશે, સંવાદને અંત સુધી માણજો. રામનવમી નિમિતે જલસોનો આ સ્પેશિયલ પોડકાસ્ટ.