મહાભારત એ આપણા ભારત દેશના મહાન ઈતિહાસનું સાક્ષી પૂરે છે. તે કોઈ કલ્પના નથી પરંતુ આપણા ઈતિહાસની એક સત્ય ઘટના છે. દિપાલી દીદી એ ખૂબ જ પ્રચલિત કથાકાર તેમજ વક્તા છે, જલસો સાથે તેમનો પ્રથમ સંવાદ ખૂબ જ રસપ્રદ રહ્યો અને એટલે જ મહાભારત વિશેનો આ પાર્ટ 2 આપની સમક્ષ પ્રસ્તુત છે. આ પોડકાસ્ટમાં આપ ભીષ્મ પિતામહને, દ્રૌપદીને તેમજ અન્ય પાત્રો વિષે અત્યંત સચોટ તેમજ રસપ્રદ જાણકારી સાંભળી શકશો. શું ખરેખર દ્રૌપદીના લીધે મહાભારતનું યુદ્ધ થયું? કેમ ભીષ્મ પિતામહ સંપૂર્ણ મહાભારતના યુદ્ધ વખતે મૌન રહ્યા? કોણ હતા વિદુર? મહાભારત ગ્રંથની મહાનતા વિશે જાણો આ પોડકાસ્ટમાં. મહાભારત ઉપર થયેલ પ્રથમ એપિસોડ સાંભળવાનું ચૂકતા નહીં અને આ પોડકાસ્ટ જુઓ અંત સુધી.
