For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

ઠાકોરજીની હવેલીમાં હોળીનો ઉત્સવ કઈ રીતે ખેલાય છે? – Pushtimarg, Vraj ki Holi

ષષ્ઠગૃહ વલ્લભકુળના બાલક પૂજ્યપાદ્દ આચાર્યશ્રી શરણમકુમારજી ગોસ્વામી સાથેનો આ સંવાદ ખૂબ વિશેષ છે. આ સંવાદમાં તેમણે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિશે, હવેલીમાં થતી ઠાકોરજીની સેવા વિશેની રસપ્રદ માહિતી પ્રદાન કરી છે. હોળીનો તહેવાર નજીક છે અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં આ તહેવારનું અનેરું મહત્વ છે. વ્રજની હોળી તો આજે ખૂબ જ પ્રચલિત છે તેમજ સમગ્ર દેશમાં જુદી જુદી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં હોળીના 40 દિવસ પહેલાથી જ તેની ઉજવણી શરું થઇ જાય છે. તો આ હોળી કઈ રીતે ઉજવાય છે? ઠાકોરજીની કઈ રીતે વિશિષ્ટ સેવા કરવામાં આવે છે? હોળીના રસિયા કે જે શ્રીકૃષ્ણ પ્રત્યેના ભક્તિભાવને, પ્રેમભાવને કીર્તન સ્વરૂપે પ્રસ્તુત કરે છે તેનું શું મહત્વ છે? દોલોત્સવ કઈ રીતે ઉજવવામાં આવે છે? વ્રજમાં હોળી કઈ રીતે ઉજવવામાં આવે છે? યંગસ્ટર્સે જો ડિપ્રેશનથી બચવું હોય તો કઈ રીતે બચી શકે? અને આવા અનેક રસપ્રદ તેમજ જ્ઞાનવર્ધક પ્રશ્નોના સુંદર તેમજ સચોટ જવાબ તમે અહીં સંવાદમાં મેળવી શકશો. આ સંવાદ છેલ્લે સુધી સાંભળજો, શ્રીકૃષ્ણ પ્રત્યેનો આપણો ભક્તિભાવ ચોક્કસપણે સહેજ વધુ પ્રબળ થશે. આ પોડકાસ્ટ વડોદરામાં આવેલી વર્ષો જૂની, અલૌકિક તેમજ પ્રચલિત શ્રી કલ્યાણરાયજીની હવેલીમાં રેકોર્ડ થયો છે જે આ પોડકાસ્ટમાં થતા સંવાદને વધુ ભાવસભર બનાવે છે. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ અહીં માત્ર Jalso Podcasts YT Channel પર.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz