ગુજરાતી સાહિત્યનું શિખર કહી શકાય એવા સાહિત્યકારોમાં ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુરેશ જોશી, પન્નાલાલ પટેલ કે પછી કનૈયાલાલ મુનશી જેવા મૂર્ધન્ય સર્જકોને ગણાવી શકાય. આ સૌમાં એક સમાનતા એ હતી કે તેઓ ઉત્તમ સાહિત્યકાર તો હતા પરંતુ તેમની વાર્તાઓ સર્વોત્તમ હતી એવું કહીએ તો અતિશયોક્તિ ન ગણાય.
ઝવેરચંદ મેઘાણીએ અનેક ઉત્તમોત્તમ સાહિત્ય સર્જ્યું તેમાં તેમની લોકસાહિત્યને નિરૂપતી વાર્તાઓ આજે પણ વાચકોમાં ખુબ પ્રિય છે. ‘સૌરાષ્ટ્રની રસધાર’ કૃતિમાંની ‘દીકરાનો મારનાર’ વાર્તા તેમની યાદગાર વાર્તા છે. જલસોએ આ વાર્તાનું ઉત્તમ વાચિકમ કર્યું છે, જેમાં નૈષધ પુરાણી, અંકિત પટેલ, હાર્દિક શાસ્ત્રી, પ્રભુદાસ પટેલ, દિવ્યાંગ હિંગુ, નિશીથ ધીનોરા, અયાન મન્સૂરી અને યશ કુવાડિયાએ પોતાનો અવાજ આપ્યો છે.