નવરાત્રી એ મૂળ તો માતાજીની આરાધનાનો તહેવાર. જગત જનની મા જગદંબાની આરાધના કરવાના આ તહેવારમાં માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. અને એ સ્તુતિ રૂપે અનેક ગરબા લખાયા છે. વલ્લભ મેવાડા નામના કવિએ માતાજીની આરાધના કરતા અનેક ગરબા લખ્યા હતા. માએ ગરબો કોરાવ્યો એ ગરબો માતાજીની આરાધના કરતો એક ઉત્તમ ગરબો છે. જલસોના Unplugged વર્ઝનમાં આ ગરબો સ્તુતિ જાનીએ બહુ સુંદર રીતે ગાયો છે.
