હોમિયોપેથી – દરેક રોગનો ઈલાજ?
“જલસો પોડકાસ્ટ” ગુજરાતી ભાષામાં એક જાણીતી શ્રેણી છે, જેમાં વૈજ્ઞાનિક, ચિકિત્સક, સાહિત્યિક અને સામાજિક વિષયોની સરળ ભાષામાં ચર્ચા કરવામાં આવે છે. થોડા દિવસોમાં શ્રોતાઓ વચ્ચે લોકપ્રિય આ સંવાદ શ્રેણીમાં તાજેતરમાં ડૉ. કેતન શાહ સાથે વાતચીત કરવામાં આવી હોમિયોપેથી ચિકિત્સાપધ્ધતિ પર
ડૉ. કેતન શાહ હોમિયોપેથીના માળખા, તેના લાભ-હાનિ અને પ્રચલિત કથનને ઊંડાણપૂર્વક અહિયાં સમજાવે છે. ડૉ. કેતન શાહ એક અનુભવી હોમિયોપેથીક તબીબ છે જેમણે લાંબા સમયથી લોકોની સારવાર કરી છે. આ એપિસોડનું કેન્દ્રબિંદુ હતું – “શું હોમિયોપેથી દવાઓ ખરેખર અસરકારક છે?” ઘણાં લોકોને આ વાતમાં સંશય હોવું સામાન્ય છે. આ દવા અને પદ્દતિ વિષે ઘણી માન્યતાઓ અને ગેર-માન્યતાઓ લોકોના મનમાં જોવા મળે છે ત્યારે એ તમામ સવાલોનાં જવાબ આ સંવાદમાંથી જાણવા મળે છે.
ચિકિત્સા પદ્ધતિમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
1. કોઈ તબીબી પદ્ધતિને સ્વીકારતાં પહેલા… “તે કેવી રીતે કાર્ય કરે છે” જાણવું મહત્વપૂર્ણ છે.
2. સારવાર અને સ્વાસ્થ્ય સાથે સ્વભાવનું પણ સંયોજન હોય – જેને સમજવું જરૂરી છે.
આ વાતચીતમાં ખાસ આ બાબત વિષે વાત થઈ છે અમુક મુદ્દાઓ નીચે મુજબ છે.
હોમિયોપેથી શું છે?
હોમિયોપેથી એ એક વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ છે જેમાં દવાઓ ખૂબ નાનકડા પ્રમાણમાં આપવામાં આવે છે અને તેનું ઉદ્દેશ શરીરની કુદરતી સિસ્ટમને બેલેન્સ કરીને યોગ્ય રીતે કાર્ય કરે એ છે.
ડૉ. કેતન શાહ સ્વીકાર કરે છે કે હોમિયોપેથી અંગે ઘણી ગેરમતી પણ છે. ઘણા વૈજ્ઞાનિકો માનતા નથી કે એ દવાઓમાં કોઈ રાસાયણિક અસર રહેલી છે.
બીજી પેથીઓથી શું જુદું છે હોમિયોપેથીમાં?
એલોપેથીમાં ક્રૂડ કેમિકલ્સ પર આધારિત હોય છે, ઝડપથી અસર કરે છે પરંતુ ઘણીવાર આડઅસરથી ભરપૂર હોય છે. જયારે આયુર્વેદમાં વનસ્પતિઓ અને પ્રાકૃતિક ઘટકો આધારિત છે, પણ દવાનો સ્વાદ, માપદંડ અને અસર વિશે હજુ પણ યોગ્ય સ્ટાન્ડર્ડાઈઝેશન જરૂરી છે.
અને હોમિયોપેથી એ દવાઓ પ્લાન્ટ્સ, મિનરલ્સ, એનિમલ્સ – બધામાંથી બને છે. પરંતુ, એમાંથી એનર્જી અલગ કરીને બહુ નાની માત્રામાં આપવામાં આવે છે, જેથી બોડી એને સારી રીતે ગ્રહણ કરે.
ઉદાહરણરૂપ, પોટેન્શિયમ સાયનાઈડ જેવું ઝેરી પદાર્થ પણ હોમિયોપેથીમાં પોટેન્ટાઈઝ કરીને એવી દવા બની શકે છે કે જે બાળકોને પણ આપી શકાય છે. “હોમિયોપેથી એ રોગની દવા નથી – એ વ્યક્તિની દવા છે.” કારણકે હોમિયોપેથીમાં ફક્ત રોગોનાં લક્ષણ પરથી નહીં પણ વ્યક્તિનાં સ્વભાવ અને જીવનનાં અનુભવો પરથી પણ સારવાર કરવામાં આવે છે એટલે જ તો ડૉ. કેતન શાહ વધુમાં એમ પણ જણાવે છે કે, આ પેથીમાં દર્દીઓ ઘણી વાર ફક્ત એમનાં મનની વાત ખુલ્લીને કરી શકે છે એનાંથી પણ અડધી સારવાર થઇ જાય છે કારણકે ઘણાં રોગોનું ઘર આપના મનમાં ચાલતાં નકારાત્મક વિચારો પણ હોય છે અથવા તો મનની વાત વ્હાક્તી બહાર કોઈ સાથે વહેંચી ના શકે તો પણ ઘણાં રોગોનો ભોગ બને છે.
દવા તરીકે Sugerballs કેમ?
હોમિયોપેથીમાં દવા તરીકે સુગર બોલ્સ લેવાંમાં આવે છે, હોમિયોપેથીના ડૉક્ટરો માટે લોકો કહે છે “ગળી ગોળી વાળા ડૉક્ટર”. કારણ? એ નાની સફેદ ગોળીઓ – સુગર પિલ્સ – એ જ આ પેથીની મુખ્ય ઓળખ છે. એ દવા ખાલી ખાંડ નથી એમાં દવા ઉમેરવામાં આવે છે એકદમ નાની માત્રામાં – પણ એમાં રહેલી એનર્જી આપણા શરીરની ઈમ્યુનિટી સાથે તાલમેલ સાધી શકે એવી હોય છે.
એટલે આ દવા તરીકેનાં સુગર બોલ એ માત્ર વાહક તરીકે લેવાય છે, દવા તો એના ઉપર મુકવામાં આવેલા ડ્રોપ્સ છે, અર્ક છે.
આપણા બધાંના મનમાં આ સવાલ હોય છે કે,શું હોમિયોપેથીમાં આડઅસર ન આવી શકે?
જેનો જવાબ ડૉ. કેતન શાહ આપે છે કે, આમ તો ઓછા પ્રમાણમાં હોય છે, પણ…જો દવા સતત અથવા ખોટી રીતે લેવામાં આવે તો ચોક્કસ આડઅસર થઈ શકે છે.
ડૉ.કેતન શાહ એક ઘટના જણાવી , જ્યાં એક વ્યક્તિએ એક દવા (પલસેટીલા) લાંબો સમય લે છે અને પછી પોતે મૂડ સ્વિંગ, વાતે વાતે રડવું વગેરે જેવી તકલીફ અનુભવવામાંડે છે, કારણ કે એ દવા એવી વ્યક્તિ માટે બનાવવામાં આવી છે જે Sensitive વ્યક્તિ હોય, લાગણીશીલ વ્યક્તિ હોય એટલે એને ગમે એમ ડોક્ટરની દેખરેખ વગર ના જ લેવી જોઈએ.
હાલમાં આ પેથી 9 બિલિયન ડોલરની ઇન્ડસ્ટ્રી છે, અને આગળ 18 બિલિયન US ડોલર થવાનું અનુમાન છે. ભારત સરકારનું “આયુષ” મંત્રાલય એના માટે રિસર્ચ પણ કરી રહ્યું છે, અને દર વર્ષે હોમિયોપેથી ડે (10 એપ્રિલ) પર રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો થાય છે.
ખાસ રોગો જેમાં હોમિયોપેથી સારી સારવાર કરી શકે છે?
- માનસિક રોગ (Anxiety, Depression, OCD, Mood Swings)
- હોર્મોનલ ડિસઓર્ડર્સ (Thyroid, PCOS, Menopause)
- Autoimmune રોગ (Psoriasis, Rheumatoid Arthritis, Ulcerative colitis)
- સેક્સ્યુઅલ વીકનેસ (Low libido, Premature Ejaculation, Erectile Dysfunction)
“જલસો પોડકાસ્ટ” પર આ સિવાયનાં બીજાં ઘણાં રોગો અને બાબતોની હોમિયોપેથીની દ્રષ્ટીએ વાત ચિત કરવામાં આવી છે સંપૂર્ણ સંવાદ સાંભળો જલસો પોડકાસ્ટ you tube ચેનલ પર આપને આ સંવાદ કેટલો ઉપયોગી બન્યો આપનો પ્રતિભાવ આમને ચોક્કસથી જણાવો અને યોગ્ય લાગે તો આપનાં મિત્રો અને પરિવારને અચૂકથી મોકલો.