For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience

Download on:

કવિતા જેમના ‘ટેરવે’ રમતી એવા ચારણ કવિ દાદબાપુ

પૂ. કાગ બાપુના પેંગડામાં પગ મૂકવાની નરવી શક્તિ ધરાવતા કવિ દાદ, લોકહૈયાના અગોચર ખૂણે રમતા ઋજુભાવોને પોતાના કાવ્યમાં મુગ્ધ ઝરણા જેવી મધુરી, રમતિયાળ શૈલીમાં આલેખે છે. કવિ દાદ ઉત્તમ દરજ્જાના લોકમાન્ય અને લોકભોગ્ય ચારણ કવિ છે.

કવિ દાદની અતિપ્રસિદ્ધ, અવિસ્મરણીય અને અદભુત કવિતા એટલે ‘કાળજા કેરો કટકો’. માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં બલકે વિશ્વભરમાં જ્યાં અને જ્યારે પણ કોઈ લોકગાયક આ ગીત ગાય ત્યારે ગમે તે ઉંમરની દિકરીના મા-બાપની આંખો ભીની થઈ જતી હોય છે. સાવ નવીન કલ્પનાઓને આલેખતી કવિ દાદની અમર રચના એટલે ‘ઠાકોરજી નથી થાવું’.

તેઓ આઈ આવડને ચરજ રૂપે આરધતા લખે છે કે, ‘આવડ તું ઉપરેં ઓ રે, બાઈ તુંને બાળ બોલાવે’. તેમની રચનાઓમાં શબ્દનો પ્રચાર નહીં પણ અંતરનો ઉપચાર છે.

દાદુદાન પ્રતાપદાન ગઢવીની સાહિત્ય-સાધનાની અર્ધી સદી થઈ છે. કવિ દાદે કાળજો કેરો કટકો, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, હિરણ હલકાળી જેવી ગુજરાતની લોક સંસ્કૃતિને જન માનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓની રચના કરી છે. કવિ દાદના સમગ્ર કાવ્યસંગ્રહ ‘ટેરવાં’ અને ‘લછનાયન’ છે.

કવિ દાદએ આઠ જેટલા કાવ્ય સંગ્રહો આપીને ગુજરાતી લોકસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેઓ છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પણ પીરસી રહ્યા છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી નવાજ્યા છે.

 

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz